બિહાર વિધાનસભામાં ઉઠ્યો લઠ્ઠાકાંડનો મુદ્દો, ભાજપે કર્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2022-12-16 14:56:36

બિહારમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા હતા. બિહારમાં દારૂબંધી છે. આ ઘટનાને લઈ સંસદમાં પણ હોબાળો મચી રહ્યો છે. આ મામલો બિહાર વિધાનસભામાં પણ ઉઠી રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે દારૂ પીશે એ મરશે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાસી રહ્યા છીએ। અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે.

 


દારૂ પીને મૃત્યુ પામનારને નહી અપાય વળતર 

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. બિહારમાં પણ દારૂબંધી છે. થોડા સમય પહેલા બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. આ મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે જે દારૂ પીશે તે મળશે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે તેમણે કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈનું મૃત્યુ થશે તો વળતર આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મમાં દારૂ પીવો સારો નથી. રાજ્યમાં ગરીબોના ઉત્થાન માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને કામ કરવા લાખ રૂપિયા આપી રહ્યા છીએ કે તમે કામ કરો પરંતુ લોકો દારૂ પી રહ્યા છે. પ્રતિબંધએ મુદ્દો નથી, પરંતુ તેનો ખોટો ફાયદો લઈ રહ્યા છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.