સંસદમાં ઉઠ્યો અદાણીનો મુદ્દો, હંગામો થતા લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-02-03 12:07:50

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો ચોથો દિવસ છે. પરંતુ આ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામેદાર રહ્યું છે. 11 વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ સત્ર શરૂ થયું તેના થોડા સમય બાદ જ સંસદની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

Image

લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત 

અદાણી ગ્રુપને લઈ સંસદમાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. સત્રના ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈ હોબાળો થયો હતો તો સત્રના ચોથા દિવસે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગ કરવામાં આવી છે.આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જેને લઈ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી તો તેમજ રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવી હતી વિપક્ષી દળોના નેતાઓની બેઠક

તે સિવાય સંસદમાં મોંઘવારી, બેરોજગારી બીબીસી ડોક્યુમેન્ટરી, ભારત-ચીન વિવાદ જેવા બીજા મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. સરકારને ઘેરવા મલ્લિકાર્જૂન ખડગે વિપક્ષી દળોની બેઠક પણ કરી હતી. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દ્રષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે ગ્રુહમાં ચર્ચા થવી જોઈએ.                   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.