પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કર્યો વિરોધ, કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2023-03-16 16:25:20

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતો મોહનથાળ પ્રસાદ વિવાદનો અંત તો આવી ગયો. ફરીથી મોહનથાળ પ્રસાદની વહેચણી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. અંબાજી મંદિર પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો તો બીજી બાજુ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા વધેરેલા શ્રીફળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શ્રીફળ પ્રસાદ બંધ થતા ભક્તોમાં નારાજગી જોવા મળી 

મોહનથાળ પ્રસાદ વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ત્યારે એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. પાવાગઢમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાવાગઢ પરિસરમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંદિરમાં ફક્ત આખા નાળિયેર જ માતાજીને અર્પણ કરવામાં આવશે. ભક્તોના જણાવ્યા અનુસાર જે ભક્તોએ નાળિયેર વધેરવાની બાધા લીધી હોય તેઓ બાધા પૂરી કરી શકશે નહીં. જેથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. જો મંદિરમાં શ્રીફળ વધેરવાની વ્યવસ્થા ન હોય તો સાળંગપુર હનુમાન જેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. 


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર 

આ નિર્ણયનો વિરોધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પ્રસાદ બંધ થવાના નિર્ણયને ઔરંગઝેબનો નિર્ણય ગણાવ્યો હતો. નિવેદનપત્ર આપવા જતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરા મહાનગર ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે ભક્તો અહીં વર્ષોથી માનતા પૂર્ણ થતા શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા યથાવત રહેવી જોઈએ.               


આંદોલનની ઉચ્ચારવામાં આવી ચીમકી 

જો થોડા સમયમાં જ શ્રીફળ વધેરવા અંગે લેવાયેલા નિર્ણયને પરત નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જો આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ચલો પાવાગઢ આંદોલન કરવામાં આવશે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!