દેશમાં ઘટતું કોરોનાનું સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોનાથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-24 14:15:47

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7178 કેસ સામે આવ્યા છે. આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 10 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. સરખામણીમાં કોરોના કેસ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 5 લાખ 31 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 65,683 પર પહોંચી ગઈ છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ  કેસ   

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ વખત 12 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 10 હજારને આસપાસ કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 7178 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. શનિવારે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 29 જેટલા લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. 17 એપ્રિલે કોરોનાના  7633 કેસ નોંધાયા હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.