India-Canadaના તણાવના સંબંધો વચ્ચે ભારત સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 16:19:19

ભારત અને કેનેડામાં સંબંધોમાં સતત તણાવ આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે મામલો શાંત થવાને બદલે મામલો સતત વધતો જઈ રહ્યો છે. કેનેડાના પીએમે સંસદમાં સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હરદીપની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ નિવેદન બાદ ભારત દ્વારા ત્વરીત એક્શન લેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર, કેનેડાની વેબસાઈટમાં લખાયેલો મેસેજ.

 



કેનેડિયન નાગરિકોને નહીં આપવામાં આવે વિઝા!

કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી પવન વર્માને આ મામલે સંડોવણીના આક્ષેપો સાથે મોકલી દેવામાં આવ્યા હતા. તે બાદ ભારત દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે બીજા એક આતંકવાદીની હત્યા આજે ગોળીમારીને કરી દેવામાં આવી છે. બંને દેશોમાં ટેન્શન સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


નોટિફિકેશન કર્યું જાહેર 

ભારતે આ અંગે નિર્ણય કર્યો છે. આ મામલે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે કેનેડામાં વીઝી કેન્દ્રો મેનેજ કરનારા બીએલસી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ જાણકારી અપડેટ કરી છે . નોટિફિકેશનમાં લખવામાં આવ્યું કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના- ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યું છે.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.