દેશમાં વધતા ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ચિંતાજનક! એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ અનેક નિયમોનું પાલન કરવાની આપી સલાહ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:07:28

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોના મોત પણ આને કારણે થયા હતા. ત્યારે દેશ પર H3N2નો ખતરો ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદી-ખાંસી તેમજ તાવના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા H3N2 કેસને લઈ એઈમ્સના પૂર્વ ડિરેક્ટરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ બીમારીથી બચવા માટે અનેક નિયમોનું પાલન કરવા કહ્યું છે. 


કોરોનાની જેમ ફેલાઈ શકે છે  H3N2? 

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે  H3N2 પણ કોરોનાની જેમ ફેલાઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ શરદી ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં  H3N2ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે  H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણને દર વર્ષે આ સમયે દરમિયાન જોવા મળે છે.  


H3N2થી બચવા આ નિયમોનું પાલન કરવાની આપી સલાહ 

H3N2ના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ડો. ગુલેરિયાએ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરીક અંતર જાળવવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ  H3N2ના વધી રહેલા કેસોને લઈ એક બેઠક બોલાવી હતી. 


લોકોમાં જોવા મળી રહ્યો છે ડર 

બે મહિનામાં મળેલા કેસની વાત કરીએ તો કોરોના મહામારી બાદ દેશના અનેક ભાગોમાં આ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્લૂના વધતા કેસને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસમાં પણ કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોમાં આના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


શું છે  H3N2ના લક્ષણો?

આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફેલાઈ રહ્યો છે. જે કેસો નોંધાયા છે તેમના લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે, શરીરમાં દુખાવો રહે છે ઉપરાંત માથું પણ દુખે છે. તે સિવાય ગળામાં બળતરા થવા અને બે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહેવી. આ બધા લક્ષણો ફ્લુના માનવામાં આવે છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.