વડોદરાની હિંસા ઘટના પહેલી નથી, તહેવારોમાં થાય જ છે કજિયા


  • Published By :
  • Published Date : 2022-10-25 16:56:31

દિવાળીની રાત્રે વડોદરામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર નથી. ગુજરાતમાં તહેવારોના સમયે સાંપ્રદાયિક હિંસાના બનાવો બનતા જ રહે છે. આમ ગુજરાતને શાંત માનવામાં આવે છે પરંતુ જ્યારે સાંપ્રદાયિક વાત થાય ત્યારે પત્યું સમજો. ગુજરાતમાં દશેરા, રામનવમી અને નવરાત્રિના સમયે સાંપ્રદાયિક બનાવો બનતા રહ્યા છે......



દિવાળી પર બે જૂથ વચ્ચે થઈ હતી હિંસા 


વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં મુસ્લીમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારો થયો હતો અને આગ ચાંપવાનો બનાવો પણ બન્યા હતા. આ દુર્ઘાટનામાં આરોપીઓએ પોલીસની ગાડી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


નવરાત્રિમાં પણ થઈ હતી બબાલ 

News & Views :: નવરાત્રિ ઉત્સવ દરમિયાન ખેડામાં પથ્થરમારો અને સાવલીમાં  ધાર્મિક ધ્વજ પર હોબાળો

આની પહેલા નવરાત્રિમાં પણ ગુજરાતના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા. ખેડામાં નવરાત્રિના આયોજન દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં દસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. બીજી બાજુ સાવલીના વિસ્તારમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


રામનવમી પર પણ થઈ હતી સાંપ્રદાયિક હિંસા 

રામનવમીએ ગુજરાતમાં હિંસા : ખંભાત-હિંમતનગરમાં સરઘસ દરમિયાન પથ્થરમારો,  દુકાનો-વાહનો સળગાવાયાં - BBC News ગુજરાતી

ગુજરાતના બે શહેરોમાં રામનવમીના જુલુસ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના જુલુસ દરમિયાન બે સમુહો વચ્ચે સાંપ્રદાયિક હિંસાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન પણ બંને જૂથોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક ઘાયલ પણ થયા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.