ઈઝરાઈલની રાજધાનીમાં બની ફાયરિંગની ઘટના, આ ઘટનાને પોલીસે ગણાવ્યો આતંકીહુમલો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:26:28

ઈઝરાઈલની રાજધાની યરૂશલમના બાહરી વિસ્તાર નેવે યાકોવમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારે પૂજા સ્થળ પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત સાત લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને પોલીસે આતંદીવાદી હુમલો ગણાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગોળીબારી કરનાર વ્યક્તિ ફિલિસ્તીની હતો અને પોલીસે હુમલાવરને મારી દીધો હતો.

 


અંધાધૂંધ ફાયરિંગમાં થયા સાત લોકોના મોત 

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકામાં અનેક વખત અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના ઈઝરાઈલની રાજધાની યરુશલમમાં બની છે જ્યાં પૂજાસ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 7 લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા છે. 


પોલીસે આ હુમલાને ગણાવ્યો આતંકી હુમલો 

આ હુમલાને પોલીસે આતંકી હુમલો બતાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ શુક્રવારના રોજ થયો હતો. 21 વર્ષના હમલાવરે આ ફાયરિંગ કર્યું હતુ. હમલાવર પ્રાર્થના ખતમ કરવાની રાહ જોતો હતો. જ્યારે પ્રાર્થના પૂર્ણ કરી લોકો બહાર આવ્યા ત્યારે તેણે અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂઆત  કરી દીધી. મળતી માહિતી અનુસાર પોલીસે ફાયરિંગ કરનાર હમલાવરને મારી દીધો છે.    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.