મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, અટલ બ્રિજ માટે તંત્રએ લીધો નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 17:06:27

દિવાળી વેકેશન દરમિયાન પોતાની રજાઓ માણવા અને ફરવા માટે લોકો પર્યટક સ્થળોની મુલાકાત લેતા હોય છે. આપણા શહેરમાં કોઈ પણ નવું પર્યટક સ્થળ બન્યું હોય ત્યારે આપણે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યારે મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મૂકાયેલો બ્રિજ અનેક લોકો માટે મોતનો બ્રિજ બની ગયો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. અમદાવાદમાં બનેલ અટલ બ્રિજમાં આવી દુર્ઘટના ન બને તે માટે સરકારે ફરમાન કર્યું છે જે અંતર્ગત હવે દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.           

અટલ બ્રિજ પર ટિકિટ રાખ્યા બાદ એક દિવસમાં થઇ આટલી આવક

મોરબીની ઘટના પરથી સરકારે લીધી શીખ

અમદાવાદમાં બનેલ અટલ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ બ્રિજની મુલાકાત લેતા હોય છે. ત્યારે આવી ગોઝારી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. અટલ બ્રિજ માટે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દર કલાકે માત્ર 3000 લોકોને જ બ્રિજ પર ફરવાની પરવાનગી આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ બ્રિજ પર એકસાથે 12000 લોકો ફરી શકે તેવી ક્ષમતા આ બ્રિજમાં છે. પરંતુ સરકાર કોઈ રિસ્ક નથી લેવા માગતી.

Know the entry fees and rules before visiting Atal Bridge

જો તંત્ર સતર્ક થયું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આ પગલા લીધા તે સારી વાત છે પરંતુ થોડી દરકાર જો મોરબી બ્રિજ માટે રાખી હોત તો આ દુર્ઘટના સર્જાઈ જ ન હોત. આવી અગમચેતી જો આ બ્રિજ માટે વાપરી હોત તો લોકોને રડવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સરકારે આ ઘટનામાંથી શીખ લીધી એ સારી વાત છે. અને અમે આશા રાખીએ છીએ કે આવી દુર્ઘટના ક્યાંય પણ ન સર્જાય.      




દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.