ગુજરાતના હવામાનમાં દેખાઈ વાવાઝોડાની અસર! અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ! જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-13 09:00:30

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. અનુમાન અનુસાર 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન વહી રહ્યો છે. તો ક્યાંક અનેક ઈંચ વરસાદ પણ ખાબકી ગયો છે. ચક્રવાતને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 100 જેટલા તાલુકામાં વાવાઝોડાને પગલે વરસાદ વરસ્યો હતો. 



વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કરાઈ રદ્દ

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ જિલ્લામાં જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 અને 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાવાઝોડાને કારણે ગુજરાતના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીનામાં અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢના કેશોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ!

વાવાઝોડાને પગલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાઓમાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ અનેક દરિયાઓમાં કરંટ પણ જોવા મળ્યો હતો. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  .


ચક્રવાતને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું છે જાહેર 

ગુજરાત માટે 15 અને 16 જૂન મહત્વની માનવામાં આવી રહી છે. આ તારીખ દરમિયાન ત્રણ જિલ્લાઓ એટલે કે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય  હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનના રોજ કચ્છમાં, દેવભૂમિ દ્વારકા,જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. તેજ પવન ફૂંકાવવાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!