આજથી પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, શિવાલયોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-08-17 16:18:52

હિંદુ ધર્મમાં દરેક માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે, મહિનાઓ દેવતાઓને સમર્પિત હોય છે. આસો મહિનો માતાજીને સમર્પિત હોય છે, ભાદરવો મહિનો ગણપતિજીને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શિવાલયો હર હર મદાહેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.      


શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

શ્રાવણ મહિનાનું હિંદુ ધર્મમાં આગવું મહત્વ રહેલું છે. દેવાધિ દેવ મહાદેવની આ મહિનામાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શિવાલયોમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજનો પણ કરવામાં આવતા હોય છે. જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે . 


શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી કરાઈ છે ખાસ વ્યવસ્થા 

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભગવાન નાગેશ્વર જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભોળેનાથને રૂદ્રાભિષેક કરવાથી તેમજ મહામૃત્યંજય વધારે ફળ આપે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતી ઓમ નમ: શિવાયની માળા પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે. શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરવાનું વિધાન પણ આપણાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી જ્યોતિર્લિંગોમાં તેમજ શિવાલયો વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.