ગિરનાર પર્વત પર કચરાના ઢગલા મામલે હાઈકોર્ટ હાઈકોર્ટ લાલઘુમ, જૂનાગઢ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-02-12 22:07:10

યાત્રાધામ જુનાગઢમાં આવેલા સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ગંદકીના ઢગલા ખડકાયા છે. જેના કારણે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમ જ દત્તાત્રેય મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે.  જો કે જુનાગઢના સ્થાનિક વહીવટી તંત્રનું વલણ આ મામલે તદ્દન નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયા બાદ હાઈકોર્ટે સ્થાનિક પ્રશાસનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.  ગિરનાર પર્વત પર ગંદકી મામલે અરજદારે રજૂઆત કરી હતી કે, અરજદારે રજૂઆત કરી હતી કે ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકી મુદ્દે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 


જૂનાગઢ ક્લેકટરની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી


ગીરનાર પર્વત પર ગંદકીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટમાં જૂનાગઢ ક્લેકટર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે તે એફિડેવિટનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે નાના બાળક જેવી વૃત્તિ કોર્ટ સમક્ષ કરનારા અધિકારીનો બચાવ કરો છો? પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે કોઈ જ નક્કર સ્પષ્ટતા નહીં કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જૂનાગઢ ક્લેકટરની ઝાટકણી કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસ કરવા માટે નિર્દેશ કર્યો હતો. કાયદાનું પાલન નહીં કરાવનારા ક્લેકટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટની ભારોભાર નારાજગી સામે આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.