ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-15 16:34:13

અમદાવાદના ઈસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી પર મહત્વનો  ફેંસલો સંભળાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનિય છે કે આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી તથ્ય પટેલની જેગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ હતું. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો પણ સમાવેશ થતો હતો.


બંને પક્ષના વકીલોએ શું દલીલો કરી?


ગુજરાત હાઈકોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં તથ્યના વકીલે દલીલ કરી હતી કે,રાત્રે સાડા બાર વાગ્યે રોડ પર ટ્રાફિક હશે એવું માની ના શકાય આ સંપૂર્ણ બેદરકારીનો કેસ છે પણ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી. જ્યારે સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે, આરોપી તથ્યના મિત્રોના નિવેદનને જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું જ્ઞાન હતું. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે બે કલાક સુધી ચાલેલી દલીલો સાંભળીને આખરે જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.