મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી, કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:09:59

દિવાળીના સમયે મોરબીનો ઝૂલતા બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાની અનેક ટીકાઓ થઈ હતી. થોડા સમય પહેલા ઓરેવા ગ્રૃપના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલ મારફતે જયસુખ પટેલે કહ્યું કે દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો વેપારી ઈરાદો ન હતો. 


કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. બ્રિજ તૂટયા બાદ સરકારે શું કાર્યવાહી કરી? 


શું કાર્યવાહી કરી તે અંગે માંગ્યો જવાબ     

રાજ્ય સરકારનો પક્ષ એડવોકેટ જનરલે મૂક્યો હતો. સરકાર વતી જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ છે જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. જે અંતર્ગત 63 બ્રિજને રિપેરિંગની જરૂર છે. તે સિવાય સરકારને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો ત્યારે સરકાર શું કરતી હતી.? 


વહેલી તકે વળતર આપવાની તૈયારી દર્શાવી   

તે સિવાય બ્રિજનું રિપેરીંગનું કામ કરનાર ઓરેવા કંપનીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિકે મૃતકોને ઉંમર પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચૂકવે તેની અસર તપાસ કરી રહેલી કમિટી પર નહીં થાય. આ તપાસ યથાવત રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તેમજ ઈજાગ્રસ્તોને વહેલી તકે વળતર આપવામાં આવે.    

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.