મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી, કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:09:59

દિવાળીના સમયે મોરબીનો ઝૂલતા બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાની અનેક ટીકાઓ થઈ હતી. થોડા સમય પહેલા ઓરેવા ગ્રૃપના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલ મારફતે જયસુખ પટેલે કહ્યું કે દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો વેપારી ઈરાદો ન હતો. 


કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. બ્રિજ તૂટયા બાદ સરકારે શું કાર્યવાહી કરી? 


શું કાર્યવાહી કરી તે અંગે માંગ્યો જવાબ     

રાજ્ય સરકારનો પક્ષ એડવોકેટ જનરલે મૂક્યો હતો. સરકાર વતી જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ છે જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. જે અંતર્ગત 63 બ્રિજને રિપેરિંગની જરૂર છે. તે સિવાય સરકારને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો ત્યારે સરકાર શું કરતી હતી.? 


વહેલી તકે વળતર આપવાની તૈયારી દર્શાવી   

તે સિવાય બ્રિજનું રિપેરીંગનું કામ કરનાર ઓરેવા કંપનીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિકે મૃતકોને ઉંમર પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચૂકવે તેની અસર તપાસ કરી રહેલી કમિટી પર નહીં થાય. આ તપાસ યથાવત રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તેમજ ઈજાગ્રસ્તોને વહેલી તકે વળતર આપવામાં આવે.    

    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!