હર ઘર તિરંગા અભિયાન બાદ ચલાવાશે હર ઘર ધ્યાન અભિયાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-26 09:07:01

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેને હર ઘર ધ્યાન અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન |  Morbi Mirror

15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે અભિયાન

આપણી હિંદુ સંસ્કૃતિમાં યોગને અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં લોકો ધ્યાનનો સહારો લઈ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખતા હતા. જ્યારે આજકાલના લોકો માનસિક સ્વાસ્થયને લઈ એકદમ લાપરવાહ થઈ ગયા છે. જેને કારણે જલ્દીથી લોકો ડિપ્રેશનના શિકાર થઈ જાય છે. વધતી ચિંતાની અસર સમાજ પર પણ દેખાય છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી હર ઘર ધ્યાન અભિયાન ચલાવવામાં આવશે. 


આર્ટ ઓફ લિવિંગની સાથે મંત્રાલયે બનાવી છે યોજના  

સંસ્કૃતિ મંત્રાલયે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સાથે કોલાબરેશન કર્યું છે. જેને કારણે આ અભિયાન દેશભરમાં ચાલશે.આ અભિયાન અંતર્ગત કોઈ પણ સંસ્થા અથવા તો સોસાયટીમાં યોગનું આયોજન કરી શકે છે જેમાં આર્ટ ઓફ લિવિંગમાંથી પ્રશિક્ષિત લોકો આવશે અને ધ્યાનનું મહત્વ સમજાવશે. હર ઘર તિરંગા અભિયાનને મળેલા જનસમર્થનને જોઈને મંત્રાલયે આ અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અભિયાન ચલાવવાથી ડિપ્રેશનમાં જતા લોકો અટકી જશે અને માનસિક તણાવનો ઓછો અનુભવ કરશે. આ યોજનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

 





રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોંગ્રસના નેતાઓ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા ઢોરવાસની મુલાકાતે ગયા હતા જ્યાં 532ની કેપેસિટી હોવા છતાંય 1045 પશુઓને રાખવામાં આવતા હતા

અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસમાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો.

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે..

ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે 6ણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા