દેશમાં વધતું કોરોના વાયરસનું સંકટ! છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ કોરોનાના કેસ


  • Published By :
  • Published Date : 2023-04-12 10:56:27

દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. કોઈ વખત 5 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 6 હજાર જેટલા કેસ સામે આવે છે. ત્યારે આજે તો કોરોના કેસે 7 હજારનો આંકડો પાર કરી લીધો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે.  


દેશમાં આટલા લોકોના થયા કોરોનાને કારણે મોત!

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે અંદાજીત 2 લાખ 14 હજાર જેટલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી 7830 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થઈ ગયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં બે-બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એક દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરાના સંક્રમણને કારણે હજી સુધીમાં 5 લાખ 31 હજાર જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.