Indiaમાં Corona Virusનો વધતો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, Gujaratમાં વધતો કોરોના કેસનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:28:41

વિશ્વમાં કોરોનાનો હાહાકાર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધારે દેશ નોંધાયા છે. માત્ર કેરળમાં એક્ટિવ કેસ 2000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 કેસ સામે આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. દેશના 17 રાજ્યોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. સૌથી વધારે કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, કર્ણાટકમં 70 કેસ, મહારાષ્ટ્રમાં 15 જ્યારે ગુજરાતમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.  


કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો 

2019માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થયા હતા. એક સમય આવ્યો જ્યારે એવું લાગતું હતું કે કોરોના જતો રહ્યો છે. લોકો બિન્દાસ્ત બનીને ફરતા હતા પરંતુ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી પ્રતિદિન 200થી 400 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. 

COVID-19 India Updates: New Cases Nearly 14K, Rise For 5th Straight Day |  OTV News

રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા  

ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા માત્ર બે કેસ કોરોનાના ગુજરાતમાંથી સામે આવ્યા હતા પરંતુ હવે તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. પરમદિવસે અમદાવાદના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે પણ કોરોના કેસ સામે આવતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 આસપાસ પહોંચવા આવી છે. આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે.   


ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર!

કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હોસ્પિટલોની સુવિધા કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે શિયાળાના સમયમાં લોકોને ખાંસી તેમજ ઉધરસ રહેતો હોય છે. ત્યારે કોરોના થવાની સંભાવના વધારે રહેતી હોય છે. કોરોના કેસ વધતા ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.