રાજ્યમાં વધતો રખડતા શ્વાનનો આતંક, સુરતમાં શ્વાનના હુમલાને કારણે ગયો બે વર્ષની બાળકીનો જીવ, જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-02-23 13:27:51

રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીના શરીર પર 30થી વધુ વખત કૂતરાઓએ બચકા ભર્યા હતા. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈ કાલ રાત્રે બાળકીનું મોત થઈ ગયું હતું.    


બાળકીને શ્વાનોએ ભર્યા 30થી 40 બચકા 

રાજ્યમાં રખડતા પશુ તેમજ શેરી કૂતારો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. હુમલો થવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. 15 દિવસની અંદર 477 જેટલા કેસ કૂતરા કરડવાના સામે આવ્યા હતા. નાના બાળકો શેરી કૂતારાના હુમલાનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓ બાળકો પર હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાગસ્ત કરે છે. 


સારવાર દરમિયાન બાળકીનું થયું મોત 

બાળકીની મોત કૂતરા કરડવાને થયું છે તેવો કિસ્સો સામે આવ્યો  છે. થોડા દિવસ પહેલા ખજોદમાં બે ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના શરીર 30 થી 40 બચકા ભર્યા હોવાના નિશાન પણ મળ્યા હતા. ગંભીર રીતે બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 


રાજ્યમાં સતત વધી રહ્યા છે શ્વાનના હુમલા કરવાના કિસ્સા  

શ્વાનના હુમલાથી જે બાળકીનું મોત થયું છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. ખુલ્લામાં બાળકી રમી રહી હતી. જ્યાં બાળકી પર હુમલો થયો તેની નજીકમાં મહાનગરપાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. કૂતરાનો ત્રાસ ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવાય તેવી લોકોને આશા છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.