મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજને લઈ આપ્યું વિવાદીત નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-20 11:40:27

શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને વંદનીય અને પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજ અંગે ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા.

  

શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા - રાજ્યપાલ કોશ્યારી

પોતાના નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા તે સમયે જો કોઈ  અમારા આદર્શ વિશે પૂછતા તો અમે જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ. અથવા તો મહાત્મા ગાંધીને પસંદ કરતા અને તેમના નામ જણાવતા. પરંતુ આજકાલની જનરેશનને દુર જવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાંથી જ અનેક પસંદગીગા નેતાઓ મળી રહેશે. શિવાજી જૂના જમાનાના આદર્શ હતા નવા યુગમાં ડો.આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી રહેશે.

 

આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી 

ઔરંગાબાદના બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટિમાં આયોજીત પદવીદાન સમારોહમાં રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને શરદ પવારને માનદ ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.