મોરબી પુલ જેવી દુર્ઘટના ક્યાંય ન સર્જાય તે માટે સરકારે લીધો નિર્ણય, હોનારત બાદ સરકાર એકાએક જાગી


  • Published By :
  • Published Date : 2023-01-19 16:27:29

દિવાળી સમયે મોરબીમાં પુલ તૂટવાની હોનારત સર્જાઈ હતી. જેમાં અંદાજે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હોનારતને અનેક મહિના વિતી ગયા છે જે બાદ સરકારે નિર્ણય કર્યો છે. કોર્ટે  આપેલા નિર્દેશોનું પાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પુલોના ઈન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત પુલોને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. 

મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' -  રાહુલ ગાંધી - BBC ગુજરાતી


તહેવારની ઉજવણી ફેરવાઈ હતી માતમમાં 

રાજાશાહી વર્ષો પહેલા બનેલો ઝુલતો પુલ રિનોવેશન કર્યા બાદ તૂટી પડ્યો હતો. આ હોનારતને કારણે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટના બાદ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન હોનારત બની હતી જેને કારણે અનેક પરિવારમાં તહેવારની ઉજવણી માતમમાં બદલાઈ ગઈ હતી.  


રાજ્યોમાં પુલોનું કરાશે ઈન્સ્પેક્શન 

હાઈકોર્ટની ટકોર બાદ હોનારત થયાના આટલા મહિના બાદ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પુલોનો ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. વધુ રિપેરિંગ માગતા પુલ તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને બંધ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે પુલને રિપેરિંગની જરૂરત છે તે પુલોનું રિનોવેશન તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવશે.                



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.