વિરોધ વધતા TRB જવાનોની હકાલપટ્ટીના નિર્ણયને સરકારે મોકૂફ રાખ્યો! Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:04:37

ગુજરાતમાં એક તરફ અનેક લોકો નોકરીની શોધમાં છે તો બીજી તરફ ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સાથે જ ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળ્યો હતો. આંદોલન કરી પોતાનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પણ જાણે તેમના આંદોલન સામે ઝૂકી. આંદોલન વધારે વધે તે પહેલા જ સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.  આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.  

રાજ્ય સરકારના નિર્ણયને યુવરાજસિંહે આવકાર્યો 

TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગઈકાલે ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જ્યારે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા ત્યારે યુવરાજસિંહ ત્યાં તેમના સમર્થનમાં પહોંચ્યા હતા. ટીઆરબીના જવાનોના સમર્થનમાં આવી તેમણે નિવેદન આપ્યું હતું. ટીઆરબી જવાનોના હિતમાં સરકારે નિર્ણય લીધો તે બાદ યુવરાજસિંહે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકારને અનેક રજૂઆતો પણ કરી.  


સરકારે ટીઆરબી જવાનો મુદ્દે માર્યો યુ-ટર્ન 

મહત્વનું છે કે સરકારે છુટ્ટા કરવાનો નિર્ણય તો હાલ માટે મોકૂફ રાખ્યો છે પરંતુ અનેક શરતો પણ રાખી છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય. મહત્વનું છે કે રાજ્યમાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠતા સરકારે યુ-ટર્ન લીધો છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!