ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે - પી. ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:35:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વાતને સત્તા પક્ષ ભલે ભૂલી ગયા હોય પરંતુ વિપક્ષ આ વાતને ભૂલી નથી. ગુજરાતના પ્રવાસે આવેલા ચિદમ્બરમે આ વાતનો ઉલ્લેખ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યું છે. દુ:ખદ વાત એ છે કે પુલ દુર્ઘટના માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ માફી પણ માગી નથી.

  

મોરબી હોનારતને લઈ કર્યા પ્રહાર

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા પી.ચિદમ્બરમે ભાજપને આડેહાથ લીધી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકાર તરફથી મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે માફી નથી માગવામાં આવી. ઉપરાંત પોતાની જવાબદારી સમજી કોઈએ રાજીનામું પણ નથી આપ્યું. 

Amit Shah to flag off 'Modi Van' today | Latest News India - Hindustan Times

ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ

વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે ઘણા સમય પહેલા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. પરંતુ ગુજરાત માટે તારીખ જાહેર નહોતી કરી. જેની પર ચિદમ્બરે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની તારીખો એટલા માટે જાહેર ન થઈ કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો બાકી હતા. પી. ચિદમ્બરે કહ્યું કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા નથી ચાલતી. ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે.      

મોંઘવારી સતત વધી રહી છે 

નેતા હોવાની સાથે સાથે પી. ચિદમ્બર એક અર્થશાસ્ત્રી છે. ગુજરાત પર દેવાની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 298810 કરોડ છે અને આરબીઆઈ મુજબ આ આંકડો 402785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!