Gyan sahayak મુદ્દે સરકાર મક્કમ! અરજી કંફર્મેશન માટે સરકારે વધાર્યો સમય, જાણો કઈ તારીખ સુધી વધારાઈ મુદ્દત?


  • Published By :
  • Published Date : 2023-10-10 13:18:31

ગુજરાતમાં ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જ્ઞાનસહાયકનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે સરકારે ડેડલાઈનમાં વધારો કર્યો છે. ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારો કન્ફર્મેશન આપી શક્શે. 


12 ઓક્ટોબર સુધી ઉમેદવારો આપી શક્શે કન્ફર્મેશન 

કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત અને અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે વધતા વિરોધને જોતા સરકાર કદાચ જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરી દેશે પરંતુ સરકાર પોતાની વાત પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શક્શે. 


રાજકીય પાર્ટીઓ આવી છે ઉમેદવારોના સમર્થનમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ત્યાં હાજર હતા અને ઉમેદવારો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા. વિપક્ષને ઉમેદવારોનું સમર્થન મળ્યું હતું જેને કારણે લાગતું હતું કે કદાચ સરકાર દ્વારા આ નિર્ણય પાછો લેવામાં આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે.  જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે  12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે  અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આની પહેલા પણ ડેડલાઈન લંબાવાઈ છે 

આ પહેલી વાર એવું નથી બની રહ્યું કે જ્ઞાનસહાયક માટે ડેટ વધારવામાં આવી હોય આની પહેલા પણ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે.   પ્રાથમિક વિભાગ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે જ સરકારે તારીખ લંબાવી હતી તો હવે સરકાર અને ઉમેદવારોની આ લડાઈ કયા પહોંચે છે એ જોવાનું રહ્યું! 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!