અધિકારીઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓની વાત ન સાંભળતા હોવાની ફરિયાદો મળતા સરકારે લેવો પડ્યો આ નિર્ણય, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-23 14:32:24

ભાજપના ધારાસભ્ય અનેક વખત ફરિયાદ કરતા સંભળાય છે કે અધિકારીઓ તેમના ફોન નથી ઉપાડતા. ચૂંટાયેલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં પડતી મુશ્કેલી અંગે અથવા તો કોઈ કોઈ કામથી અધિકારીઓનો સંપર્ક કરવો હોય તો અધિકારીઓ તેમનો ફોન રિસીવ નથી કરતા. જેને કારણે જનપ્રતિનિધિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર આવી ફરિયાદો મળી આવતા આ અંગે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. તે પરિપત્રમાં અધિકારીઓને સાંસદ તેમજ ધારાસભ્યના ફોનને ઉપાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવ રાખવા અને તેમનો ફોન આવે તો તેનો ઉત્તર આપવો તેમજ જો મિસકોલ થઈ જાય તો સામે પ્રતિઉત્તર આપવા આદેશ કરવામાં આવ્યો છે. 

ભાજપના જ ધારાસભ્યો પણ આ અંગે કરે છે ફરિયાદ 

લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે અનેક વખત ધારાસભ્યો કામ કરાવા માટે અધિકારીઓનો સંપર્ક કરતા હોય છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. આપણને એવું લાગતું હોય કે ભાજપના સાંસદો, ધારાસભ્યને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નહીં હોય. પરંતુ ના, આવી સમસ્યાનો સામનો તો ભાજપના ધારાસભ્યો, સાંસદોને પણ કરવો પડી રહ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધો આ અંગેની ફરિયાદ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભાજપના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ પોતાને પડતી મુશ્કેલી અંગે અધિકારીને રજૂઆત કરવા ફોન કરે ત્યારે તેમનો ફોન અધિકારીઓ નથી ઉપાડતા. ત્યારે આ વાતને લઈ ફરી એક વખત સરકાર દ્વારા પરિપત્ર  બહાર પાડવામાં આવ્યો છે જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ લોકપ્રતિનિધિઓના નંબર સેવ કરવા પડશે. 


અધિકારીઓએ લોકપ્રતિનિધિઓનો નંબર કરવો પડશે સેવ 

જ્યારે સરકારી અધિકારીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનો સંપર્ક કરવા લેન્ડલાઈન નંબર પર ફોન કરે છે ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કામને કારણે તેઓ પોતાની કચેરીમાં હાજર નથી હોતા. ઓફિસમાં ન હોવાને કારણે જ્યારે અધિકારી પોતાની ઓફિસે પહોંચે છે તે તો તેમની રજૂઆત અથવા તો ફોન આવ્યો છે તેની માહિતી અધિકારી સુધી નથી પહોંચતી. ત્યારે સરકારે આદેશ કર્યો છે કે સાંસદો, ધારાસભ્ય, જિલ્લા તેમજ  તુાલકા પંચાયતના પ્રમુખોનો તેમજ મેયર સહિતના પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે. જો સંગોજોવસાત ફોન નથી ઉપાડાઈ શકાતો તો કોલ બેક કરીને પણ સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. જો અધિકારી હાજર નથી તો પણ તેમની નીચે રહેલા અધિકારીઓએ ફોન અંગે નોંધ લેવી પડશે અને અધિકારીને માહિતગાર કરવા પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.