સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતી AMTS બસોનું ભાડું નથી ચૂકવતી સરકાર! સરકારે આટલા કરોડ ચૂકવાના બાકી છે


  • Published By :
  • Published Date : 2023-10-19 10:56:21

જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે લોકોને સભા સ્થળ પર લાવવા લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે એએમટીએસ બસને ફાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ વર્ધી માટે બસ તો લાવવામાં આવે છે પરંતુ જ્યારે બસનું ભાડુ ચૂકવવાની વાત આવે ત્યારે તે પૈસા ચૂકવવામાં આવતા નથી! વિવિધ સરકારી કાર્યક્રમો માટે કુલ 5072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી જેનો અંદાજ ખર્ચ 3 કરોડ 10 લાખ જેટલું બિલ થાય છે. હવે 3 કરોડ 10 લાખની રકમ હવે એએમસી દ્વારા એએમટીએસને લોન જમા ખર્ચી પેટે આપવામાં આવે તેવી વિનંતી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. 


સામાન્ય માણસોને પડે છે હાલાકી  

જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એએમટીએસ બસને ફાળવવામાં આવે છે. સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવતા રેગ્યુલર જે બસ દોડતી હોય છે તેની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવતી હોય છે. હાલ એએમટીએસ પાસે 600 બસ છે અને તે પૈકી 40થી 50 ટકા જેટલી બસ ફાળવવામાં આવતી હોવાને કારણે રેગ્યુલર બસની ફ્રિક્વન્સી ઘટતી હોય છે જેને કારણે સામાન્ય માણસને તકલીફ પડતી હોય છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 2020થી 2022 દરમિયાન એએમટીએસના 1525 બસ ફાળવવામાં આવી હતી. 3 કરોડ 10 લાખ જેટલું બિલ સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવ્યું. 


કયા કાર્યક્રમમાં સૌથી વધારે ખર્ચ બસોનો થયો?

સરકારી કાર્યક્રમો માટે ફાળવવામાં આવેલી બસ વર્ધીના નીતિ-નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ એક એપ્રિલ 2021થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં રૂપિયા 3,10,45,250ની રકમ એએમસી દ્વારા એએમટીએસને આપેલી લોન પેટે જમા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1 કરોડ 33 લાખ જેટલો ખર્ચ તો સરકારના પાંચ મોટા કાર્યક્રમોમાં થયો છે. આ કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ, શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ, મોરેશિયસ પીએમ રોડ શો, તેમજ યુકે, પીએમ રોડ શોમાં વધારે બસો ફાળવવામાં આવી છે અને એ બસોનું ભાડું 1 કરોડ 33 લાખ જેટલું થાય છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.