સરકારે રાજ્યભરમાં પુલોની સ્થિતિ માટે જાહેર કરી નવી નીતિ, તમામ બ્રિજોનું મે અને ઓક્ટોબરમાં કરાશે નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:15:53

ગયા વર્ષે દિવાળી સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્રિજોની સલામતીને લઈ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. બ્રિજોની મજબૂતાઈને લઈ તપાસ કરવા કહેવાયું હતું. ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દર વર્ષે 2 વખત બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. 


બ્રિજના નિર્માણમાં વપરાય છે ઓછી ગુણવત્તાવાળો માલસામાન!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આવેલા બ્રિજો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની ચર્ચા થઈ જ રહી હતી તે દરમિયાન રાજૂલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં આવેલા એક બ્રિજમાં તિરાડ દેખાઈ હતી. આ બધા કિસ્સાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

 

વર્ષમાં બે વખત બ્રિજોનું કરાશે નિરીક્ષણ 

તે બધા વચ્ચે બ્રિજની સ્થિતિ વર્ષમાં બે વખત ચકાસવામાં આવશે. હવે ગુજરાતમાં બ્રિજનું ઈન્સપેક્શન વર્ષમાં બે વખત કરવામાં આવશે. મે અને ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં આવેલા બ્રિજોનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવશે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યુટિવ ઈજનેરની રહેશે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.