ગોંડલના રાજકુમાર જાટ કેસના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, જયરાજસિંહ સામે સામે થશે વિરોધ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-31 13:17:45

રાજકુમાર જાટના મૃત્યોનો કેસ હવે દિવસે ને દિવસે વધારે ચર્ચામાં આવે છે અને સાથે જ એના પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે જાટ સમાજમાં ભારે રોષ છે અને હવે બે દિવસમાં આ વિરોધ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. 


જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનમાં વિરોધ


ગોંડલમાં એક યુવક જે UPSCની તૈયારીઓ કરતો હતો અચાનકથી તે ગાયબ થાય છે બાદમાં પિતા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ પર આક્ષેપ કરે છે અને બાદમાં એ છોકરાનો મૃતદેહ મળે છે અને જાહેર કરવામાં આવે છે કે એનું મૃત્યુ અકસ્માતમાં થયું છે પરિવારને વિશ્વસ નથી થતો અને પરિવાર અને સમાજ cbiની માંગ કરે છે અને મુદ્દો સંસદમાં ગુંજે છે હવેશું થવાનું છે તો  રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે તેવું  એડવોકેટ જયંત મુંડે કહ્યું છે તેમને એલાન કર્યું છે કે  31 માર્ચે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ કાઢીશું સાથે જ તેમને કહ્યું કે "UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો FIR ન નોંધવી એ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં 1 એપ્રિલ, 2025ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક રોષ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે."


પ્રધાનમંત્રીને પત્ર.. 


અત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ CBI તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.





આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.