આવતી કાલે ભક્તો માટે ખુલશે કેદારનાથના દ્વાર! ડોલી ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ રહ્યા હાજર!


  • Published By :
  • Published Date : 2023-04-24 17:10:04

અખાત્રીજના દિવસથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો હતો. ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ ખુલી ગયા છે જ્યારે આવતી કાલે કેદારનાથના કપાટ ખુલવાના છે. ત્યારે કેદારનાથની ડોલી ઉત્તરાખંડના કેદારનથા ધામ પહોંચી ગઈ છે. જ્યારે ભગવાનની ડોલી આવી હતી. કેદારનાથ મંદિરના દ્વાર આવતી કાલે ખુલવાના છે જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 27 એપ્રિલે ખુલવાના છે. 

આવતી કાલે કેદારનાથના કપાટ ખુલશે!

ચારધામની યાત્રાને આપણે ત્યાં મહત્વની માનવામાં આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાના દર્શને જતાં હોય છે. ઉત્તરાખંડના ચારધામમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. અખાત્રીજના દિવસે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખુલી ગયા હતા જ્યારે કેદારનાથના દ્વાર આવતી કાલે ખુલવાના છે. બાબા કેદારનાથની ડોલી ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં લાખો શ્રદ્ધાળુંઓએ ભગવાનનું સ્વાગત કરેયું હતું.


યાત્રાળુઓ માટે એડવાઈઝરી કરાઈ જાહેર!

આ ચારધામની યાત્રામાં સૌથી વધારે વાતાવરણ વિધ્ન નાખે છે. ખરાબ વાતાવરણને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવ્યું છે. રવિવારે પણ ખરાબ હવામાનને કારણે વરસાદ વરસ્યો હતો. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.