6 મહિના માટે બંધ કરાયા કેદારનાથના દ્વાર, હજારો ભક્તો બન્યા ઘટનાના સાક્ષી


  • Published By :
  • Published Date : 2022-10-27 17:22:23

વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિતકાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરાંત ધાર્મિક વિધિ સાથે કપાટ ભક્તો માટે બંધ કરાયા હતા. આર્મી બેન્ડની ધૂન સાથે બાબાની મૂર્તિ ઓમકારેશ્વર મંદિર લઈ જવાઈ હતી. હજારો ભક્તોની હાજરીમાં બાબા કેદાર ડોલી સાથે નીકળ્યા હતા. યમનોત્રીના દ્વાર પણ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

અભિષેક થયા બાદ ડોલીમાં બિરાજમાન થયા બાબા

26 ઓક્ટોબરના રોજ ગંગોત્રી ધામના દ્વાર શિતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુરૂવારે સવારે 4 વાગે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ભગવાન કેદારની ડોલી મંદિરની બહાર આવી હતી અને ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. પરંતુ બદ્રીનાથના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ થશે.


6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે બાબા કેદારની પૂજા

કોરોનાને કારણે લોકો બહાર નિકળવતાથી ડરતા હતા. ત્યારે આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતા ચારધામમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચારધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શને આવ્યા હતા. મંદિરના દ્વાર બંધ થતા સમયે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને 6 મહિના માટે ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજા થશે. આ વર્ષે 43 લાખ 9 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.