હજારો ભક્તોની હાજરીમાં ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર! મંદિરના કપાટ ખોલાયા ત્યારે કેવો હતો માહોલ? બમ બમ ભોલેના નાદથી ગુંજી હતી ધરા!


  • Published By :
  • Published Date : 2023-04-25 09:34:52

ઉત્તરાખંડના ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજના દિવસથી થઈ ગઈ હતી. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 22 એપ્રિલના રોજ ખુલી ગયા હતા ત્યારે આજે ભગવાન કેદારનાથના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. સવારે 6.20 વાગ્યે મંત્રોચ્ચાર અને ધૂન સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાથી મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ધાર્મિક પરંપરાઓ સાથે રાવલ નિવાસથી બાબા કેદારની પંચમુખી ભોગ મૂર્તિ ડોલી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. આજે સવારે હર હર મહાદેવના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરને 20 ક્વિંટલ ફૂલોથી સજાવામાં આવ્યું છે.

    

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ!

દર્શનાથીઓ માટે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડની ચારધામો યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. 22 એપ્રિલે યમનોત્રી તેમજ ગંગોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે ભક્તોની હાજરીમાં કેદારનાથ મંદિરના દ્વાર વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બદ્રીનાથ મંદિરના દ્વાર 27 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. મળતી માહિતી અનુસાર 8 હજાર જેટલા લોકોએ ભોલે બાબાના દર્શનનો લાભ લઈ લીધો છે.

 


ખરાબ વાતાવરણ બની શકે છે ચારધામ યાત્રામાં વિધ્ન! 

ચારધામ યાત્રા દરમિયાન સારું વાતાવરણ રહે તે જરૂરી હોય છે. બરફવર્ષા થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચારધામ યાત્રાએ આવતા દર્શનાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત કરાવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણ અને ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.