ભક્તો માટે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર, ભગવાનના દર્શન થતાં ભક્તોમાં છવાઈ આનંદની લાગણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 12:21:49

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં જગતમંદિર દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ચોટીલા સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની સ્થિતિને ઘ્યાનમાં રાખી 15 જૂનના રોજ દ્વારકા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભગવાનના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન માટે સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે તેમજ ભક્તોમાં અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

   


ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્યા! 

ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતથી પસાર થઈ ચક્રવાત આગળ વધી ગયું છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા, મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી ઉઠી છે. મંદિર બહાર લોકો ઝૂમી રહ્યા છે. 


અનેક દિવસો સુધી ધજાની કરાઈ પૂજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે અનેક દિવસો સુધી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી ન હતી. જે મંદિરમાં દિવસની પાંચ ધજાઓ ચઢતી હતી ત્યાં અનેક દિવસો સુધી ધજા ચઢાવાઈ ન હતી. માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. થોડા દિવસો માટે બે ધજાઓ ફરકી હતી પરંતુ ભારે પવનને કારણે એક ધજા ખંડિત થઈ ગઈ હતી. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતાં ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.