ઉત્તરાખંડના ચારધામના કપાટ આ તારીખેથી ખુલશે ભક્તો માટે, અનેક ભક્તો આવે છે દર્શનાર્થે


  • Published By :
  • Published Date : 2023-01-28 11:55:03

ભારતમાં અનેક યાત્રાધામો આવ્યા છે. પરંતુ ચારધામનો વિશેષ મહિમા રહેલો હોય છે. હજારો તેમજ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચારધામના દર્શન કરવા આવતા હોય છે. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ તેમજ કેદારનાથની યાત્રાને ચારધામ યાત્રા કહેવામાં આવે છે. 2023માં આ તારીખથી ચારધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 

સર્વ પ્રથમ અહીં જ ગંગાએ કર્યો હતો ધરતીનો સ્પર્શ ! ગંગોત્રી ધામની ભગીરથ  શિલાનું રહસ્ય જાણો - It was here that the Ganges first touched the earth  Learn the secret of Bhagirath

22 એપ્રિલથી ખુલશે ગંગોત્રી-યમનોત્રીના ધામ 

ચારધામના દ્વાર ક્યારથી ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગંગોત્રી-યમનોત્રીના કપાટ 22 એપ્રિલથી ખોલવામાં આવશે જ્યારે કેદારનાથના કપાટ 26 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખુલશે. હજારો ભક્તોની આસ્થા ચારધામ સાથે જોડાયેલી હોય છે. દર વર્ષે લાખો ભક્તો ચાર ધામની યાત્રા કરતા હોય છે. 


હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ચારધામ 

ગંગોત્રી અને યમનોત્રી ધામ ઉત્તરકાશીમાં સ્થિત છે. ગંગોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલ્વાના છે. ગંગોત્રીનગરથી 19 કિમી દૂર ગોમુખ છે. ગંગોત્રીનું ગંગોત્રી મંદિર સમુદ્રથી 3042 મીટરની ઉંચાઈ છે. કેદારનાથ એટલે ભગવાન શંકરનું ધામ. કેદારનાથ એટલે ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ. ગંગોત્રી એટલે માતા ગંગાનું ઉદગમ સ્થાન અને યમુના નદીનું ઉદગમ સ્થાન એટલે યમનોત્રી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.