Rajkot Fire Accidentમાં મૃત્યુ પામેલા મૃતકની નિકળી અંતિમયાત્રા, સર્જાયા ભાવુક દ્રશ્યો.. હજી અનેક આંખો પોતાના સ્વજનોના ઈંતેજારમાં..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-27 13:19:53

જેની પર વિતી હોય તેને જ તે દુ:ખનો અહેસાસ થાય તેવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ.. વાત તો સાચી છે, બીજાની પીડા આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તે પીડામાંથી ગુજર્યા હોઈએ.. રાજકોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પીડા અસહ્ય હશે.. તેમનું રૂદન આપણને અંદરથી હચમચાવી દે તેવું છે.. 

News18 Gujarati

News18 Gujarati

પરિવારોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ 

જમાવટની ટીમે જ્યારે મૃતકોના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે તેમની પીડા સાફ દેખાઈ આવતી હતી.. તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અનેક મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દેવાયા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવું લાગે છે.. લાશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહ કોનો છે તે માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સેમ્પલોને મેચ કરવામાં આવી રહ્યો છે અને જો સેમ્પલ મેચ થાય છે તો મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.  

અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્આ છે. વહેલી સવારે એક મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. અંતિમ યાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. નાની ઉંમરના દીકરાનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વનું છે અનેક એવા પરિવારો છે પોતાના સ્વજનને, તેમના મૃતદેહને શોધી રહ્યા છે.. જ્યારે આવા પરિવારની પીડા આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એ પીડાનો અહેસાસ કરી શકીશું.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.