હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, આ તારીખો સુધી વરસાદની સંભાવના નહીંવત! જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-01 16:42:41

દિવસ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવે છે. આજે વરસાદની જે પરિસ્થિતિ છે તે આવતી કાલે ન પણ હોય. જે જગ્યા માટે વરસાદની આગાહી કરવામાં આવી હોય ત્યાં જો આવતી કાલે માટે જોવામાં આવે તો પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. ચોમાસાની શરૂઆત થઈ તે દરમિયાન એટલે કે શરૂઆતી મહિનાઓમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનો તો કોરો કટ સાબિત થયો હતો. સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી હતી. પાક સારો થશે તો સારી કમાણી થશે તેવી આશાઓ ખેડૂતોએ રાખી હતી. પરંતુ વરસાદે જાણે ખેડૂતોને દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. 

બિપોરજોયની અસર પડી વરસાદની સિસ્ટમ પર 

ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ તી. મહિનાઓની અંદર વરસાદે રેકોર્ડ તોડી દીધા હતા. અનેક ટકા વરસાદ વરસી ગયો હતો પરંતુ ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો વિતી ગયો પરંતુ વરસાદના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે પરંતુ 7 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ પર ઘણી અસર પડી છે. 



સપ્ટેમ્બર મહિનામાં પણ જોવી પડશે વરસાદની રાહ 

એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે પરંતુ વરસાદને ગુજરાતથી દૂર લઈ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોએ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં તો ચોમાસાના અંતનો પ્રારંભ હોય છે પરંતુ આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બીજા રાઉન્ડની પ્રતિક્ષા ખેડૂતો કરી રહ્યા છે. જો વરસાદ નહીં પડે તો તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે.        

7 તારીખ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે મેઘરાજાની પધરામણી 

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેવી આગાહી કરવામાં આવતી હોય છે. આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ થશે, કેવો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર બીજી તારીખે નવસારી, દમણ તાપી,વલસાડ, ડાંગ,દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સરખી પરિસ્થિતિ 3,4 અને 5 તારીખ માટે પણ દર્શાવવામાં આવી છે. 



અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આ આગાહી 

6 અને 7 સપ્ટેમ્બર પછી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. પરંતુ ત્યાં સુધી તો વરસાદને લઈ ખેડૂતોએ અને આપણે બધાએ રાહ જોવી પડશે. 7 તારીખે દક્ષિણ ગુજરાત, દાહોદ, સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર જોવા મળવાની છે. ત્યારે જોવું રહ્યું કે વરસાદ ક્યારે વરસશે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.