ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-19 17:15:18

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતમાંથી પસાર થઈ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.     


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હજી વાર છે. કેરળ સુધી ચોમસું પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું હતું. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ભેજ વાળું વાતાવરણ રહેશે જેને કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત!

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરત તેમજ વડોદરા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પવન ફૂંકાવવાને કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.  તેમના અનુમાન અનુસાર 26 તેમજ 27જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



બિપોરજોયને કારણે નદીઓમાં થઈ પાણીની આવક!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા અમુક કલાકોમાં વરસેલા વરસાદની વાત કરીએ તો દાંતામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પાણી આવતા ખેડૂતોમાં શ્વાસ આવ્યો છે.     


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!