ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-19 17:15:18

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતમાંથી પસાર થઈ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.     


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હજી વાર છે. કેરળ સુધી ચોમસું પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું હતું. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ભેજ વાળું વાતાવરણ રહેશે જેને કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત!

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરત તેમજ વડોદરા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પવન ફૂંકાવવાને કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.  તેમના અનુમાન અનુસાર 26 તેમજ 27જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



બિપોરજોયને કારણે નદીઓમાં થઈ પાણીની આવક!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા અમુક કલાકોમાં વરસેલા વરસાદની વાત કરીએ તો દાંતામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પાણી આવતા ખેડૂતોમાં શ્વાસ આવ્યો છે.     


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.