ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ અને પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-06 10:26:54

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહમ્મદ માંકડે  93 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયની બિમારી સામે સંઘર્ષ કર્યા બાદ શનિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકપ્રિય વાર્તાકાર તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે તેમનું અમુલ્ય યોગદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018થી સન્માનિત કરાયા હતા.

મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર | gaurav puraskar-abhiyaan - Abhiyaan

ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ હતા 

લોકપ્રિય નવલકાર અને કટાક્ષકાર મોહમ્મદ માંકડની અનેક નવલકથાઓ ખૂબ પ્રખ્યાત છે. તેમાં ધુમાસ, મોરપિંચ્છના રંગ, અજાણ્યાં બે જણ, રાતવાસો, ખેલ, મંદારવૃક્ષ ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત કેલિડોસ્કોપ (ભાગ 1-4), આનંદની વાત એ છે કે આપણે મનુષ્યોને ખૂબ પ્રસિદ્ધિ મળી છે.  તેમનો જન્મ 13 ફ્રેબ્રુઆરી 1928ના રોજ પળિયાદ એટલે કે હાલના બોટાદમાં થયો હતો. બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સુરેન્દ્રનગર સ્થાયી થઈ ગયા હતા. તે બાદ 1982થી1992 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવા કરી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.