અમેરિકાના આ રાજ્યમાં બની ફાયરિંગની ઘટના, 6 જેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-11 10:50:44

છેલ્લા ઘણા સમયથી વિદેશથી અંધાધૂધ ફાયરિંગ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે અમેરિકાના કેંટુકી રાજ્યમાં સોમવારે ફાયરિંગ થયું હતું જેમાં 5થી 6 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હમલાવરે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. 


ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા  

અમેરિકાથી અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાથી ફાયરિંગની ઘટના સામે આવી છે. કેંટકીના સૌથી મોટા શહેર લુઈસવિલેમાં ફાયરિંગની ઘટના બની છે. અંધાધૂધ ફાયરિંગમાં અંદાજીત 5થી 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે કહ્યું કે એક અધિકારી સહિત ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.