એક તરફી પ્રેમમાં પાગલ શિક્ષકનું પરાક્રમ, શિક્ષિકાને બદનામ કરવા ભુલકાઓને કામે લગાવી દીધા


  • Published By :
  • Published Date : 2023-09-23 18:20:58

આમ તો શાળા એ સરસ્વતીનું ધામ કહેવાય છે અને શિક્ષક ભગવાન સમાન હોય એ અત્યાર સધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ આ સરસ્વતીના ધામને કેટલાક હેવાનો લાંછન લગાવવા બેઠા છે ગાંધીનગરના માણસાની શાળામાં શિક્ષકે એક એવી કરતૂત કરી છે કે માનવામાં ન આવે..

વાત જાણે એમ છે કે એક શિક્ષક શિક્ષિકાના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો અને હદ વટાવી નાખી...આ શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે શિક્ષિકાને બદનામ કરવા શાળાની આજુબાજુમાં શિક્ષિકા વિષે બિભસ્ત લખાણ વાળા પોસ્ટર લગાવી દીધા 

માણસાની એક વિદ્યાલયના લંપટ અશોક પ્રજાપતિ નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષિકાને હેરાન કરી તેને પ્રપોઝ કરતો હતો પરંતુ શિક્ષિકા આ લંપટનો ઈરાદો સમજી ગઈ હતી અને પ્રપોઝનો ઇન્કાર કરી દીધો હતો જેને લઇ આ શિક્ષક બોખલાઈ ગયો હતો અને શિક્ષિકાને બદનામ કરવાનો કારસો રચ્યો અને શિક્ષિકાના વિષે બિભસ્ત લખાણો લખી પત્રિકાઓ છપાવી હતી પત્રિકામાં શિક્ષિકાનું નામ અને અન્ય સહ પુરુષના નામ જોડી શાળાની પરબ, શાળાની બહારની દીવાલો પર લગાવી હતી 


વિદ્યાર્થીઓને ધમકાવી પોસ્ટરો લગાવડાવ્યા 

અંગ્રેજી વિષયનો અશોક નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે તેણે ભુલકાઓને પણ ન છોડ્યા શાળાના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીઓ પાસે પત્રિકાઓ વહેંચાવડાવી હતી..પત્રિકાઓ જોઈ ચોંકી ગયેલી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પુછપરછ કરી હતી કે આ પત્રિકાઓ કોણે આપી તો ભાંડો ફૂટ્યો હતો કે અશોક વિદ્યાર્થીઓને ધમકાવી ડરાવી આ પત્રિકાઓ વહેંચવાનું કહ્યં હતું 


શિક્ષિકાએ કંટાળીને હિંમત બતાવી 

છેલ્લા ઘણા વર્ષોથી અંગ્રેજી વિષય ભણાવતો શિક્ષક આ શિક્ષિકાને હેરાન પરેશાન કરતો હતો પંરતુ શિક્ષિકા દ્વારા આ બાબતને જતું કરતી હતી પરંતુ આ પોસ્ટર જોયા બાદ શિક્ષિકા હતાશ થઈ ગઈ હતી જોકે ત્યારબાદ આ શિક્ષિકાએ હિંમત બતાવી અને પોલીસ પાસે પહોંચી હતી માણસા પોલીસે આ બાબતને ગંભીરતાએ લઈને આરોપીની ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરી દીધો હતો 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.