Himmatnagarની હૃદયમ હોસ્પિટલ બહાર મૃતક દર્દીના પરિવારજનોએ કર્યો હલ્લાબોલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-03 17:07:11

જેને હૃદયની બિમારી હોય છે તેવા લોકોને અનેક વખત હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવતા હોય છે. હૃદય સારી રીતે ચાલે અને લોકો લાબું જીવે તે માટે સારવાર કરાવતા હોય છે. લાખો રુપિયા આ સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. સારવાર બાદ અનેક લોકો સારી રીતે જીવી શકે છે કોઈ પણ તકલીફ વગર.. પરંતુ કોઈ વખત સ્ટેન્ડ મૂકાયા બાદ પણ દર્દીનું મોત થઈ જતું હોય છે. ત્યારે હિંમતનગરથી આવા સમાચાર સામે આવ્યા છે.     


દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમયની અંદર થઈ ગયું મોત

હાર્ટની પ્રોબ્લેમ અનેક લોકોને આજ કાલ થઈ રહી છે. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યા છે. જો દિલ નબળું હોય અને સારી રીતે કામ ન કરતું હોય તો હૃદયમાં સ્ટેન્ડ લગાવવામાં આવે છે. સ્ટેન્ડ મૂકાયા બાદ તકલીફ ઓછી પડે છે અને સારી રીતે દર્દી પોતાનું જીવન ગાળી શકે છે. પરંતુ અનેક કેસો એવા હોય છે જેમાં સ્ટેન્ડ મૂકાયાના થોડા સમય બાદ તકલીફ થવા લાગે છે. ત્યારે હિંમતનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમય બાદ દર્દીનું મોત થઈ ગયું. સ્ટેન્ડ મૂકાવ્યા બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ હૃદયમ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. 


ડોક્ટરની ભૂલને કારણે થયું દર્દીનું મોત - પરિવારજનોનો આક્ષેપ

હોસ્પિટલની બહાર પરિવારજનોએ હલ્લાબોલ કર્યો હતો. હોબાળોને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરની ભૂલને કારણે દર્દીનો જીવ ગયો છે. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વાત વધારે વધે તે પહેલા સમગ્ર મામલે સમાધાન થઈ ગયું છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં આવું હલ્લાબોલ કરાતા બીજા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      


 સમગ્ર મામલે કરાયું સમાધાન 

હિંમતનગરની હૃદયમ હોસ્પિટલમાં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ થોડાક જ સમયમાં દર્દીનું મોત થતાં હોબાળો થયો હતો.... આ હોબાળા ના પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં આક્રોશ હતો... જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન થયું હતું...




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.