સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ અંતે સમેટાઈ, સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની આપી હતી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-11-02 22:46:42

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવતા બંને એસોસિએશન ચર્ચા કરીને હડતાળ સમેટી લીધી છે. આજે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે જેના પગલે કાલથી રાજ્યની સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે. રેશનિંગની દુકાન એસોશિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ પણ કહ્યું હતું કે, આંદોલન સ્થગિત કરીએ છીએ. સરકાર આમાં કાચું કાપશે તો અમે ફરી હડતાળ કરીશું. ઉલ્લેખનિય છે કે તહેવારની સીઝનમાં જ રાજ્યના સસ્તા રેશનિંગના દુકાનદારો રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરતા સરકાર પણ ભીંસમાં આવી હતી.


બુધવારે બેઠક રહી હતી નિષ્ફળ


રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બુધવારે વાજબી ભાવની દુકાનના એસોસિએશન સાથે સરકારની બેઠક યોજાઈ હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં.આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.


સરકારની વૈકલ્પિક વ્યવસ્થા શું હતી? 


આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જો દુકાનદારો હડતાળ નહીં સમેટે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ગામની દૂધ મંડળીઓ થકી વ્યવસ્થા કરીને લોકોને અનાજનો જથ્થો આપવામાં આવશે. 


શા માટે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું?


ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોએ મહિના પહેલાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરી હતી ત્યારે પુરવઠા વિભાગે રૂ.20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટે બાંહેધરી આપી હતી, પરંતુ શરત મુજબ કમિશન ન મળતા અમદાવાદના 800 સહિત રાજ્યના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જ્યાં સુધી 20 હજાર કમિશન નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને નિર્ણય કર્યો હતો.


મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી ચેતવણી 


અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયું ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈ પણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!