Bhavanagarમાં તથ્યવાળી ઘટના બનતા બનતા રહી ગઈ! જન્મદિવસની ઉજવણી માટે સગીરને વાલીએ આપી ગાડી,સર્જ્યો અકસ્માત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:17:05

થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.  એ અકસ્માતમાં નવ જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરમાં પણ તથ્યવાળી થતા બચી છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ગાડીની અડફેટે આવ્યા હતા. સદનસીબે અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ દુર્ઘટના તો સર્જાઈ છે. માતા પિતાએ સગીરને સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી અને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. 

સગીરોને વાહનો આપતા પહેલા વાલીઓએ કરવો જોઈએ વિચાર

રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો અનેક વખત આપણે જોયા છે. તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવે છે તેવી વાતો પણ, તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. વ્હાલમાં આવીને સગીરોને માતા પિતાઓ વાહનચલાવવા આપી દેતા હોય છે. બાળકના પ્રેમમાં વહીને તેઓ કાયદાને પણ ભૂલી જતા હોય છે કે સગીરાઓને વાહન ચલાવવા ન અપાય, ટૂ વ્હીલર પણ ન આપી શકાય પરંતુ ભાવનગરમાં એક સગીરને તેના વ્હાલીએ ફોર વ્હીલર્સ આપી દીધું. બર્થડે હતી અને ઉજવણી માટે વ્હાલીએ સગીરને સ્કોર્પિયો ગાડી આપી દીધી. 16 વર્ષીય સગીરે તથ્ય પટેલની જેમ ગાડી ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. 

A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની  સ્પીડની ઉપર હતી, tathya-patel-hit-and-run-case-tathya-patel -admitted-speed-of-car

સ્કોર્પિયો ગાડીથી અનેક વાહનોને લીધા અકફેટે, લોકો થયા ઈજાગ્રસ્ત 

આ અકસ્માત અમદાવાદ જેવો ભીષણ ન હતો. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 9થી 10 લોકોના મોત થયા હતા. ત્યારે ભાવનગરમાં પણ એક મોટી દુર્ઘટના થતા થતા બચી છે. 16 વર્ષીય સગીરે સ્કોર્પિયોથી અકસ્માત સર્જ્યો છે. રોંગ સાઈડમાં આ વાહન આવ્યું અને અનેક લોકોને તેમજ અનેક વાહનોને પોતાની અડફેટે લઈ લીધા. અમદાવાદમાં થયેલા અકસ્માત હજી લોકો ભૂલી નથી શક્યા ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરમાં ગઈકાલે બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટના ટળી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર સગીરની પોલીસે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીર ફરાર ન થઈ જાય તે માટે લોકોને તેને રોકી રાખ્યો હતો. પોલીસ ત્યાં આવી ત્યારે તેને પોલીસને હવાલે કરી દીધો હતો. 


પુત્ર પ્રેમમાં અંધ થઈ વાલીઓ આપી દેતા હોય છે સગીરોને વાહન! 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર જે સગીરે અકસ્માત સર્જ્યો હતો તે સગીરનો જન્મદિવસ હતો. પોતાના મિત્રો સાથે તે જઈ રહ્યો હતો તે વખતે અકસ્માત સર્જ્યા. મહત્વનું છે કે અનેક વાલીઓ દેખાદેખીમાં પોતાના બાળકોને મોંઘીઘાટ ગાડીઓ આપી દેતા હોય છે. કાયદો પણ વાહન આપવાની ના પાડે છે ત્યારે વાલીઓ પુત્ર પ્રેમમાં આવી આવી મોટી ગાડીઓ આપી દેતા હોય છે જેને હેન્ડલ કરવી એટલી સરળ નથી હોતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈના જીવ નથી ગયા પરંતુ જો ગયા હોત તો જવાબદાર કોણ હોત? 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.