પાવાગઢ મહાકાળીના મંદિરમાં વધારાશે સુવિધા, ભક્તોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 15:10:33

પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના દર્શન કરવા ભક્તોએ અનેક સિડી ચઢવી પડતી હોય છે. પરંતુ અનેક ભક્તોને પગથિયા હોવાને કારણે તકલીફ પડતી હોય છે. ત્યારે દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


રોપ-વે પછી પણ ચઢવા પડે છે પગથિયા 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. મુખ્યત્વે દરેક શક્તિપીઠ પહાડો પર આવેલા છે. પાવગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંદિરની મુલાકાત લેતા હોય છે. માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓએ અનેક પગથિયા ચઢવા પડે છે. દર્શનાર્થીઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ અનેક પગથિયા ચઢવા પડે છે. બે લિફ્ટ બનાવામાં આવશે. 


બે લિફ્ટની કરાશે વ્યવસ્થા

પગથિયાને કારણે વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ તકલીફને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  રોપ-વે બાદ પણ 450 પગથિયા ચઢવા પડે છે પરંતુ લિફ્ટનું નિર્માણ થયા બાદ દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે. અને માત્ર અમુક સેકેન્ડમાં માતાજીના મંદિરે પહોંચી જવાશે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.