આતુરતાનો આવ્યો અંત, અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-07-11 17:05:26

આવનાર દિવસોમાં બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો આવી રહી છે. તેમાં અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2 તેમજ શાહરૂખ ખાનની જવાન ફિલ્મ આવી રહી છે. બંને ફિલ્મોને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગઈકાલે જવાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જ્યારે આજે ઓએમજી-2નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર અને ટ્રેલરને લઈ ફેન્સમાં અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ટીઝર અને ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયું છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

  

ફિલ્મનું ટીઝર થયું રિલીઝ 

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. તે બાદ થોડા દિવસો પહેલા ફિલ્મના ટીઝરના એનાઉન્સમેન્ટને લઈ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું ટીઝર કમિંગ સૂન. ત્યારે આજે આખરે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ફસ્ટ લૂક સામે આવ્યા બાદ ફેન્સમાં ફિલ્મને લઈ ક્રેઝ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ટીઝરને સારો પ્રતિસાદ મળી રહ્યો  છે. 


ટીઝરમાં ઓએમજીની બતાવાઈ છે ઝલક 

ફિલ્મનું ટીઝર વોઈસ-ઓવર પર શરૂ થાય છે જેમાં પહેલા ઓએમજીની ઝલક બતાવવામાં આવે છે. પહેલી ફિલ્મમાં નાસ્તિકની વાત કરવામાં આવી છે. તો આ ફિલ્મમાં આસ્તિક ભક્તની કહાની બતાવવામાં આવી છે. તે ભક્તનું માનવું છે કે જો ભગવાનને સાચા દિલથી યાદ કરવામાં આવે તો ભક્તોની પોકારને ભગવાન સાંભળે છે. ભગવાન પોતાના ભક્તમાં ભેદભાવ નથી કરતા. તે બાદ ટેગલાઈન સંભળાય છે. રાખ વિશ્વાસ, તૂ છે શિવનો ભક્ત. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કાંતિકરણના જીવનમાં તોફાન આવે છે. વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે ભગવાન ભોલેનાથ પર રાખેલો વિશ્વાસ ઓછો નથી થવા દેતો. એવો વિશ્વાસ રાખે છે કે શિવ ભગવાન પોતે તેની મદદે આવે છે.


11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ

જ્યારે જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ટીઝર રિલીઝ થતાં ફિલ્મને લઈ અક્ષયના ફેન્સમાં ઉત્સુક્તા વધી રહી છે. થિયેરટોમાં આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ઓએમજીમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે ફિલ્મની સિક્વલમાં તે ભોલેનાથની ભૂમિકામાં જોવા મળવાના છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ ફ્લોપ જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરશે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડી જશે. જે પ્રેમ ફિલ્મના ટીઝરને મળી રહ્યો છે તે પ્રેમ ફિલ્મને મળશે કે નહીં તે 11 ઓગસ્ટ બાદ ખબર પડશે.          




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.