ઇલેક્શન ઇફેક્ટ! પેટ્રોલ-ડીઝલના ભાવ 5-10 રૂપિયા ઘટી શકે છે, આગામી મહિને થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:22

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોથી ચિંતિત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી મહિને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 10 રૂપિયા સુધી ઘટી શકે છે. સરકારી તેલ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે વિચાર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝવાની કિંમતોમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 


નફો વધતા સરકારી કંપનીઓ કરશે ભાવ ઘટાડો


કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓનો નેટ પ્રોફિટ રેકોર્ડ 75 હજાર કરોડથી પણ વધે તેવી સંભાવના છે. વળી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ક્રૂડ ઓઈલ સસ્તા દરે મળી રહ્યું છે. તેથી કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ નિર્ધારણ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી ઓઈલ માર્કેટીગ કંપનીઓ હાલ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરના માર્જીન પર છે. આ ફાયદો જ ગ્રાહકોને આપી શકે છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી વર્ષ 2023-24ના પહેલા છમાસિકમાં ત્રણેય સરકારી કંપનીઓના કુલ નેટ પ્રોફિટની વાત કરીએ તો રૂ.57,091.87 કરોડ હતો. આ વર્ષ 2022-23ના  સમગ્ર વર્ષ માટે રૂ. 1,137.89ના કુલ નફાના પ્રમાણમાં  4,917 ટકા વધુ છે. 


વધતી મોંઘવારીથી સરકાર ચિતિંત


દેશમાં હત મહિનાઓમાં મોંઘવારી વધી છે, ચૂંટણીઓમાં આ મુદ્દો સરકાર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ડિસેમ્બર 2023માં દેશમાં રિટેલ મોંઘવારી વધીને ચાકર મહિનાની ટોચ 5.69 ટકા પર પહોંચી ગઈ છે. જો કે ખાવા-પીવાના સામાનના ભાવ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે.  કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે મોંઘવારીને 6 ટકાથી નીચે સ્થિર રાખવામાં આવે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.