પૂર્વોત્તર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-08 12:56:56

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાવી છે જેને લઈ ચૂંટણી પંચ આ રાજ્યોની મુલાકાત લેવાની છે. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ રાજ્યોની મુલાકાત લેશે. અને રાજ્યોની મુલાકાત લીધા બાદ દિલ્હી ખાતે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ટીમ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યોની મુલાકાત લેશે. 


આ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી 

મળતી માહિતી અનુસાર ત્રિપુરાની મુલાકાત ચૂંટણી પંચની ટીમ 11 જાન્યુઆરીએ લેશે જેમાં અનૂપ ચંદ્ર પાંડે, અરૂણ ગોયલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યની મુલાકાત લેશે. ત્રિપુરા બાદ ટીમ નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ટીમ વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની તપાસ કરશે. ઉપરાંત  રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી સંપન્ન થાય તે અંગે તપાસ કરશે. 


સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવશે તારીખની જાહેરાત 

ત્રણેય રાજ્યોની મુલાકાત લીધા બાદ ટીમ જ્યારે દિલ્હી પહોંચશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સમયે શાંતિ જાળવવા માટે અર્ધ સૈન્ય બળને પણ તૈનાત કરી દેવામાં આવશે. તમામ સર્વે તેમજ તપાસ કર્યા બાદ ત્રણેય રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.