સંસદમાં જોવા મળી કોરોનાની અસર, માસ્ક પહેરી સંસદ પહોંચ્યા સાંસદો


  • Published By :
  • Published Date : 2022-12-22 13:26:44

વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે. જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. દુનિયામાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતામાં પણ વદારો થયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઉપરાંત સંસદમાં સાંસદોએ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી હતી. ઉપરાંત લોકોસભાના સ્પિકર ઓમ બીરલા અને રાજ્યસભાના ચેરમેન સંસદમાં માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરીને રાજ્યસભાની કાર્યવાહીમાં બેઠા હતા. 

Image

PM મોદી માસ્ક પહેરી સંસદ પહોંચ્યા 

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં લોકોને કોરોના અંગે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત આજે બપોરે પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવાના છે. ત્યારે સંસદમાં પણ કોરોનાને લઈ જાગૃત્તા દેખાઈ હતી. સાંસદો માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માસ્ક પહેરી સંસદની કાર્યવાહી દરમિયાન જોવા મળ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું કે કોરોના મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહ્યુ છે. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે. સંસદમાં પણ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું પાલન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત જે સાંસદો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા તેમને માસ્ક આપવામાં આવ્યું હતું. 

Image


Image


અનેક મુખ્યમંત્રીઓએ બોલાવી ઈમરજન્સી બેઠક 

વધતા કોરોના સંક્રમણને લઈ દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મુખ્યમંત્રીઓ વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક યોજવાના છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.