દેવાંશી જોષીની શાળાએ પહોંચ્યા શિક્ષણમંત્રી, વિદ્યાર્થીના જીવનમાં શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 09:59:53

કહેવાય છે કે રાજ્યના બાળકોનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય. શાળામાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, દેશના ભાવિ નાગરિકોને સંસ્કાર મળે છે. શાળા એ હોય છે જ્યાં વિદ્યાર્થીના સપનાને આકાર મળે છે, ભવિષ્યમાં વિદ્યાર્થી શું બનશે તેના સપનાનું સિંચન શાળામાં થાય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે શાળાની પરિસ્થિતિ તેમજ શિક્ષણ વિભાગની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. 

શાળામાં મળેલા ભણતરનું ઘડતરમાં હોય છે વિશેષ સ્થાન     

શહેરમાં રહેતા લોકોને કદાચ જીવનના ઘડતરમાં શાળાની શું કિંમત છે તેનો કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે તેમને ત્યાં શાળાઓના અનેક ઓપ્શન ઉપલ્બધ હશે. આ સ્કૂલ નહીં તો બીજી સ્કૂલ પરંતુ જ્યારે ગામડામાં રહેતા વિદ્યાર્થીના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ગામડામાં અથવા નાના શહેરમાં આવેલી સરકારી શાળામાં પેઢીઓની પેઢીઓ અભ્યાસ કરતી હોય છે. તમે પણ કદાચ એ જ શાળામાં ભણ્યા હશો ત્યાં તમારા પિતાએ અભ્યાસ કર્યો હશે. અને તમે એવું પણ ઈચ્છતા હશો કે તમારી આવનારી પેઢી પણ એ શાળામાં ભણે. પરંતુ અનેક સરકારી શાળાઓ એવી છે જેની ઈમારતો જૂની થઈ ગઈ છે. જૂની ઈમારતો હોવાને કારણે લોકોને પોતાના સંતાનોને અનેક કિલોમીટરો દૂર અને અનેક વખત સંઘર્ષ કરી અભ્યાસ માટે મોકલવા પડે છે.

લુણાવાડા પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રીએ લીધી મુલાકાત

ગામમાં શાળાનું પ્રાંગણ હોવા છતાંય જો ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યાંય બીજી જગ્યાએ જવું પડે તો તે પીડા કષ્ટદાયક હોય છે. શિક્ષણ મુદ્દે ગંભીર બની શિક્ષણમંત્રી કોઈ પગલાં તેવી રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. સરકારી શાળાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે તે માટે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે મહિસાગરથી નાતો રાખનાર શિક્ષણમંત્રીએ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી વડાગામ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ગામના લોકો માટે શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું! 

જે શાળાની મુલાકાત શિક્ષણમંત્રીએ લીધી હતી તે શાળામાં દેવાંશી જોષી ભણ્યા છે. પોતાની શાળા હોવાને કારણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે દેવાંશી જોષીએ સમજાવ્યું હતું. ગામડાના લોકો માટે તે શાળાની, શાળાના ઈમારતની શું કિંમત હોય તે તેમણે સમજાવ્યું હતું. ગામડાના વિદ્યાર્થીઓમાં રહેલા પોટેન્શિયલ વિશે પણ તેમણે જણાવ્યું હતું.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.