વિદ્યાર્થીઓમાં વધતા Heart Attackને લઈ શિક્ષણ વિભાગ બન્યું સતર્ક, શિક્ષકોને અપાશે CPRની તાલીમ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-10 16:50:09

બાળકો તેમજ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અવાર-નવાર આપણી સામે એવા સમાચાર આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. કોરોના બાદ તો આ કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. શિક્ષકોને સી.પી.આરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે. 

Reasons for Heart Attack & Prevention | Aster Hospitals

યુવાનોમાં વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો 

એક સમય હતો જ્યારે કોરોનાના સમાચાર લખાતા હતા કે આજે આ જગ્યા પર કોરોનાના આટલા કેસ નોંધાયા છે આટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે વગેરે વગેરે... પરંતુ હવે રોજે સમાચાર હાર્ટ એટેકના લખવા પડે છે! યુવાનો પર સૌથી વધારે હાર્ટ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના બાદ આ કિસ્સાઓમાં વધારો થયો છે જેને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. યુવાનો બાદ બાળકોમાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



શિક્ષણ વિભાગે લીધો આ નિર્ણય!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના બાદ તો રોજે કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. રાજ્યની અલગ અલગ જગ્યાઓ પરથી હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આ સમસ્યા એટલી બધી વિકરાળ બની ગઈ છે કે શાળામાં ભણતા બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે. 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.