વિદ્યાર્થીઓમાં વધતા Heart Attackને લઈ શિક્ષણ વિભાગ બન્યું સતર્ક, શિક્ષકોને અપાશે CPRની તાલીમ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-10 16:50:09

બાળકો તેમજ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અવાર-નવાર આપણી સામે એવા સમાચાર આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. કોરોના બાદ તો આ કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. શિક્ષકોને સી.પી.આરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે. 

Reasons for Heart Attack & Prevention | Aster Hospitals

યુવાનોમાં વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો 

એક સમય હતો જ્યારે કોરોનાના સમાચાર લખાતા હતા કે આજે આ જગ્યા પર કોરોનાના આટલા કેસ નોંધાયા છે આટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે વગેરે વગેરે... પરંતુ હવે રોજે સમાચાર હાર્ટ એટેકના લખવા પડે છે! યુવાનો પર સૌથી વધારે હાર્ટ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના બાદ આ કિસ્સાઓમાં વધારો થયો છે જેને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. યુવાનો બાદ બાળકોમાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



શિક્ષણ વિભાગે લીધો આ નિર્ણય!

હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના બાદ તો રોજે કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. રાજ્યની અલગ અલગ જગ્યાઓ પરથી હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આ સમસ્યા એટલી બધી વિકરાળ બની ગઈ છે કે શાળામાં ભણતા બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાની સાથે સાથે રાજ્યમાં આવેલી 471 કોલેજના પ્રાધ્યાપકો પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની આ તાલીમનો હિસ્સો બનશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.