રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયના પડઘા ગુજરાતમાં સંભળાયા


  • Published By :
  • Published Date : 2022-10-23 11:27:52

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત મોડલ બતાવી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે તો આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી મોડલ બતાવી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ અનેક વખત રાજસ્થાન મોડલ બતાવવાની કોશિશ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની માગને લઈ VCE કર્મચારી આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સરકાર નથી સાંભળી રહી. એવામાં રાજસ્થાન સરકારે પંચાયત સહાયકને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ ગુજરાતના VCE કર્મચારીઓએ ભાજપ સરકારને પગાર આપવાનો આગ્રહ કર્યો છે. 

ગુજરાતમાં અશોક ગેહલોતે સ્વીકાર્યું, 'અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી સૌથી  મોટી ભૂલ હતી'

VCEને પગાર કરવાની ઉઠી માગ

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીને લઈ પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા પોતાની પડતર માગણીને લઈ ગુજરાતમાં અનેક આંદોલન ચાલ્યા હતા. એક બાદ એક આંદોલનો સમેટાઈ ગયા. પરંતુ VCE કર્મચારી પોતાની લડાઈ લડી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગેહલોતની એટલે કે કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરી દીધા છે. જેને લઈ ગુજરાતના VCE કર્મચારીઓ પણ ડબલ એન્જીન સરકાર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.

  

ટ્વિટ કરી ડબલ એન્જીન સરકાર પર કર્યા પ્રહાર 

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ગ્રામ પંચાયત વીસીઈને પગાર આપી ન્યાય આપે.               



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે