G-20 સમિટ માટે ભારત આવેલા Joe Biden Convoyમાં ડ્રાઈવરે કરી આ મોટી ભૂલ કે અધિકારીઓએ કરવી પડી પૂછપરછ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-11 14:57:28

વધારે પૈસા કમાવાની આશા દરેક વ્યક્તિને હોય છે. Extra Income માટે લોકો વધારાનું કામ પણ કરતા હોય છે. ટાઈમ મળતા જ બીજી જગ્યા પર કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે આવું જ કંઈક જી-20 સમિટ માટે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલાના એક ડ્રાઈવરે કર્યું છે. જી-20 સમિટની ભાગદોડમાંથી થોડો સમય ડ્રાઈવરને મળ્યો તો તે પેસેન્જરને લઈ ફેરો કરવા નીકળી ગયો. વધારાના પૈસા મળશે અને કોઈને ખબર નહીં પડે પરંતુ ડ્રાઈવરની ચોરી પકડાઈ ગઈ. 


બીજા પેસેન્જરને છોડવા ડ્રાઈવરે છોડી આ જવાબદારી!

જો બાઈડન તો ભારતથી પરત જતા રહ્યા પરંતુ હવે આ સમાચાર સામે આવ્યા છે. બાઈડનના કાફલામાં અધિકારીઓ માટે રાખવામાં આવેલા એક ડ્રાઈવર કોઈ બીજા પેસેન્જરને છોડવા માટે બીજા હોટલ પહોંચી ગયો. જેવી તેવી હોટલમાં નહીં પરંતુ યુએઈના ક્રાઉન પ્રિંસ જ્યાં રોકોયા હતા. ઘટનાની જાણ થતાં જ ડ્રાઈવરને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.     



આ રીતે પકડાઈ ડ્રાઈવરની પોલ! 

આજતકના રિપોર્ટ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ડ્રાઈવર પોતાના કસ્ટમર એક કારોબારી હતી. લોધી સ્ટેટ વિસ્તારમાંથી ડ્રાઈવરે પેસેન્જરને બેસાડ્યા અને તાજ હોટલ લઈને ગયા. ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ ગાડીને રોકી અને પૂછપરછ કરી. કાર પર અનેક સ્ટિકરો લાગેલા હતા. જેને કારણે અધિકારીઓને તરત ખબર પડી ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી. 


પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કહી આ વાત 

પકડાયા બાદ જ્યારે પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન આઈટીસી મૌર્યમાં રોકાયા છે. મારે ત્યાં 9.30 વાગ્યે પહોંચવાનું હતું. મારી પાસે સમય હતો. તેથી સવારે 8 વાગ્યે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં લઈ ગયો. મને પ્રોટોકોલની ખબર નહોતી." પૂછપરછ બાદ ડ્રાઈવરને છોડી દેવામાં આવ્યો હતો. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.